ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટણવાવમાં પાણીના નિકાલ બાબતે બે પાડોશી વચ્ચે મારામારી

11:38 AM Jul 31, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ધોરાજી તાલુકાના પાટણવાવમાં પટલેશ્વર સોસાયટીમાં ઘર પાસે પાણી નિકાલ બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા આ મામલે બન્ને પાડોશીઓએ સામાસામી પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં મિનાબેન મહેશભાઇ રાણવાની ફરીયાદને આધારે પોલીસે પાડોશમાં રહેતા દિનેશ દેવજીભાઇ ચૌહાણ અને તેમના પત્ની જાગૃતિબેન સામે ગુનો નોંધયો છે જયારે સામા પક્ષે દિનેશકુમાર દેવજીભાઇ ચૌહાણની ફરીયાદને આધારે મહેશભાઇ ચનાભાઇ રાણવા અને તેના પત્ની મીનાબેન સામે ગુનો નોંધયો છે.

આ બનાવમાં મીનાબેને ફરીયાદમાં જણાવ્યું કે પાડોશમાં રહેતા જાગૃતીબેને પાણીના નિકાલ બાબતે ઝઘડો કરી ધમકી આપી અને ગાળાગાળી કરી હતી. જયારે સામા પક્ષે દિનેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું કે પત્ની જાગૃતીબેન સાથે ઝઘડો કરતા પાડોશી મિનાબેન અને તેના પતી મહેશભાઇને સમજાવવા જતા ઝઘડો કરી દંપતીને ગાળો આપી ધમકી આપી હતી.

Tags :
gujaratgujarat newsPatanwav news
Advertisement
Advertisement