પટણીવાડ વિસ્તારમાં ઘરમાં વિકરાળ આગ, ઘરવખરી બળીને ખાખ
12:15 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
જામનગરમા પટણી વાડ પિલુડી ફળી ચમારવાડ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં કિરેશી સલિમભાઈનું રહેણાંક મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ, મકાન માલિક કિરેશી સલિમભાઈ બહારગામ ગયા હતા અને ઘર બંધ હતું. મોડી રાત્રે અચાનક આગ લાગી હતી અને ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણ અંગે હજુ સુધી સ્પષ્ટ કંઈ જાણવા મળ્યું નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાંબા સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિરેશી પરિવાર આ અકસ્માતથી ભારે મુશ્કેલીમાં મુકાયો છે. તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
Advertisement
Advertisement