રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પુત્રીના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાનું અકસ્માતમાં મોત

04:31 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા આધેડ પોતાની પુત્રીના લગ્નની કંકોત્રી દેવા નીકળ્યા હતા ત્યારે સરગામ અને ચિત્રાવાવ ગામ વચ્ચે આધેડના બાઇકને ટેમ્પો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નીપજતા પરિવારમાં આરેલાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પરિવારમાં પુત્રીના લગ્નની ખુશીનો માહોલ માતમમાં છવાઇ ગયો હતો.

Advertisement

ગોંડલના ગુંદાળા ગામમાં રહેતા લધરાભાઇ કેશુભાઇ ડાભી (ઉ.વ.પ0) ગઇકાલે પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે સરગામથી ચીત્રવાવ ગામ વચ્ચે ટાટા 407 ટેમ્પોના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લધરાભાઇ ડાભીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું કરૂૂણ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક લધરાભાઇ ડાભીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લઘરાભાઈ ડાભીની પુત્રીના આગામી તારીખ 5/3/2024ના રોજ લગ્ન હતા અને પુત્રીના લગ્નની કંકોત્રી દેવા લઘરાભાઈ ડાભી પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે લગ્નની કંકોત્રી આપવા નીકળેલા આધેડનું અકસ્માતમાં મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ટાટા ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement