રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારનો થાર સાથે ભયંકર અકસ્માત, 3ના મોત

10:25 AM Jul 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાંથી વધુ ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ બ્રિજ પાસે આજે વહેલી સવારે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયાં છે. જયારે એક વ્યકતિ ઈજાગ્રસ્ત થયો છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથી ધરી છે.

મળતી વિગતો અનુસાર, અમદાવાદના બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આજે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા. ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી. જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર બેઠેલા એક વ્યક્તિનું મોત થયું હતું. આ અકસ્માતમાં અજિત કાઠી,મનીષ ભટ્ટ, ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ(ફોર્ચ્યુનરનો ચાલક)નું મોત થયું છે.

આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં ઊતરી ગઈ હતી. હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Tags :
accidentAhmedabadAhmedabad newscar accidentcrimegujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement