ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

01:01 PM Oct 11, 2025 IST | Bhumika
Advertisement

ચોટીલાના મેવાસા ગામની ઘટના; ઝેર પી લેનાર મહિલાએ સારવારમાં દમ તોડયો

Advertisement

ચોટીલા તાલુકાના નવાગામ આણંદપરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી મેવાસા ગામે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નવા ગામ આણંદપર ખાતે રહેતા સોમીબેન વિઠ્ઠલભાઈ સાકરીયા નામની 40 વર્ષની પરિણીતા ગત તા.28નાં રોજ મેવાસા ગામે જગાભાઈની વાડીએ હતી ત્યારે ઝેરીદવા પી લીધી હતી.

પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પરિણીતાએ ટૂકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક સોમીબેનને સંતાનમાં બે પુત્ર છે અને સોમીબેને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Chotilachotila newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement