For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોના સાથે રોગચાળો પણ વકર્યો: કમળા-ટાઈફોડના 6 કેસ

05:24 PM Jun 09, 2025 IST | Bhumika
કોરોના સાથે રોગચાળો પણ વકર્યો  કમળા ટાઈફોડના 6 કેસ

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન રોગચાળો વકર્યો હોવાનો રિપોર્ટ આપ્યો છે. ફરી વખથ કમળા અને ટાઈફોડના નવા છ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે પાણીજન્ય રોગચાળાથી બચવા આવશ્યક પગલા લઈ માર્ગદર્શીકા જાહેર કરી છે. તેમજ 353 ફ્લોરીંગ ટેસ્ટ કરી તેનો રિપોર્ટ આપવામા આવ્યો હતો.

Advertisement

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.2/6/2025 થી તા.08/06/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 23,850 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 208 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્યુવે રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો દંડ ફટકારવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement