ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રોગચાળો વકર્યો: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 4 કેસ

05:44 PM Sep 08, 2025 IST | Bhumika
Advertisement

એક સપ્તાહમાં સામાન્ય તાવ શરદી-ઉઘરસના 1508 તથા ઝાડા ઉલ્ટીના 107 અને ટાઇફોઈડ-કમળાના 5 નવા દર્દીઓ નોંધાયા

Advertisement

શહેરમાં સતત વાદળ છાયા વાતાવરણના કારણે મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર થયેલ આંકડાઓ મુજબ ડેન્ગ્યુ-મેલેરીયા વધુ ચાર નવા કેસ નોંધાયા છે. તેવી જ રીતે સામાન્ય તાવ શરદી-ઉઘરશના 1508 તથા ઝાડા ઉલ્ટીના 107 અને ટાઇફોડ-કમળાના 5 દર્દીઓ નોંધાતા ચેકિંગ દરમિયાન મચ્છર ઉત્પતી સબબ 378 આસામીઓઅને નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

મચ્છર જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની પોરાનાશક કામગીરી હેઠળ 50,279 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1053 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 626 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 207 અને કોર્મશીયલ 171 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 29 આસામી પાસેથી રૂૂા.20,600/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Tags :
dengue-malariagujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement