રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સસ્પેન્ડ TPOની જામીન અરજી, મિલકતોના મુદ્દે કોર્ટમાં કાનૂની જંગ

04:08 PM Oct 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

TPO બન્યા પહેલાંની મિલકતો પણ ACBએ અપ્રમાણસર ગણાવી દીધી; સાગઠિયાનો બચાવ

અગાઉની મિલકતો હોયતો તેના કોઇ આધાર-પુરાવા સાગઠિયાએ રજૂ કર્યા નથી: સરકારી વકીલનો દાવો

રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અપ્રમાણસર મિલકતના કેસમાં જેલ હવાલે રહેલા ટીપીઓ સાગઠિયાએ અગ્નિકાંડ કેસની સાથે સાથે એસીબીના ગુનામાં પણ જામીન મુક્ત થવા અરજી કરી હતી. અગ્નિકાંડ કેસમાં સાગઠિયાની જામીન અરજી રદ થઈ હતી. જ્યારે અપ્રમાણસર મિલકતના કેસમાં કોર્ટે સાગઠિયાની જામીન અરજી ઉપર કોઈ પણ ઘડીએ ચુકાદો સંભળાશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.આ કેસની હકીકત મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા 27 લોકો જીવતા ભુંજાયા હતા. જે અગ્નિ કાંડના રાજકોટ સહિત દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. જે અગ્નિકાંડમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સહિતનાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત 16 વ્યક્તિની સંડોવણી ખુલતા ગુનો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી 26 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટીપીઓ મનસુખ સાગઠીયાએ જેલ મુક્ત થવા અગ્નિકાંડ અને અપ્રમાણસર મિલકતના કેસમાં જુદી જુદી બે જામીન અરજી કરી હતી જેમાં અદાલતે અગ્નિકાંડ કેસમાં આરોપી પૂર્વ ટીપીઓ સાગઠીયાની જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે અપરમાણસર મિલકતના કેસમાં બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી છે. સાગઠિયાના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે સાગઠિયા સામે અપ્રમાનસર મિલકતનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં માત્ર વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીની આવકને ધ્યાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષ પહેલાંની મિલકતો કે આવકને ધ્યાનમાં લેવામાં આવી નથી તેવી દલીલો કરવામાં આવી હતી.

જ્યારે સરકાર પક્ષે સ્પે.પીપી દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે પૂર્વ ટીપીઓ સાગઠિયા પાસે અગાઉની મિલકતો હોય તો તેના કોઈ પણ આધાર-પુરાવા સાગઠિયા દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી. બને પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોના આધારે અદાલત ગમે તે ઘડીએ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી ઉપર ચુકાદો સંભળાવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છેઆ કેસમાં સાગઠિયાના બચાવ પક્ષે એડવોકેટ જામનગરના એડવોકેટ વી.એચ. કનારા, વી.એસ. ખીમાણીયા અને રાજકોટના ભાર્ગવ બોડા તેમજ સરકાર પક્ષે સ્પે. પીપી સંજયભાઈ કે. વોરા રોકાયા છે.

અગ્નિકાંડ કેસમાં પણ કોર્ટની ફટકાર: જામીન અરજી રદ

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા જેલ મુક્ત થવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સુનાવણી ઉપર આવતા અગ્નિકાંડનો દોષનો ટોપલો પૂર્વ ટીપીઓ સાગઠિયાએ મ્યુ. કમિશનર પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનાર હતભાગી પ્રદીપસિંહ રણજીતસિંહ ચૌહાણે સાગઠિયાની જામીન અરજી રદ કરવા કરેલી વાંધા અરજીને લઈને સરકાર પક્ષી સ્પે. પીપી અને હતભાગી પરિવારો વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstpo sagathiya bail
Advertisement
Next Article
Advertisement