ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આરાધના સોસાયટીમાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત

04:30 PM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

મોરબી રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા 70 વર્ષના વૃધ્ધાએ એસિડ લેતા તેને સારવાર માટે એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતાં. જયાં સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત થયું હતું. વૃધ્ધાને ડાયાબીટીશ, હૃદય સહિતની બીમારી હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા લક્ષ્મીબેન રામજીભાઇ કટારીયા(ઉ.વ 70) નામના વૃધ્ધાએ ગઇકાલે બપોરના સમયે ઘરે ટોઇલેટ સાફ કરવાનું એસિડ પી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

Advertisement

અહીં સારવાર દરમિયાન વૃધ્ધાએ દમ તોડી દીધો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.શ્યોરાએ અહીં પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી છે. વૃધ્ધાને હૃદય, ડાયાબીટીશ સહિતની બીમારી હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement