ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપાની બેદરકારીથી લાખોની કચરાપેટી સડી ગઇ

04:11 PM Jul 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ચેેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર રાજુ જુંજાની તપાસ કરવા રજૂઆત

રાજકોટ મ્યુ.કોપીરેશનમાં છેલ્લા સાત વર્ષથી ભુતકાળ બની ગયેલી કચરા પેટીઓ શહેરની ભાગોળે ફેકી દેવાતા સડી ગઇ છે. પ્રજાના પૈસામાંથી ખરીદ કરાયેલી લાખોની કિંમતની કચરાપેટીઓ કાટમાળ બની જતા પ્રજાના પૈસાનું પાણી થયુ છે. શહેરના 18 વોર્ડમાં હજારોની સંખ્યામાં કચરાપેટીઓ મુકવામાં આવી હતી. જે એકાએક રદ કરી વોર્ડ દીઠ 2પ થી 30 ટીપરવાન ખરીદવામાં આવ્યા હતા. રદ કરાયેલી કચરાપેટીઓની સંખ્યા હજારોની હતી. જે રફેદફે કરી દેવામાં આવી છે. થોડી ઘણી પેટીઓ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર એક પ્લોટમાં સડી રહી છે. નવા આવેલા કમિશનર દ્રારા આ અંગે તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.

કચરાપેટીઓની કિંમત ભલે પાસેરામાં પુણી જેવી હોય પરંતુ એના ઓઠા હેઠળ કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે. એમ સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર રાજુ જુંજાએ જણાવ્યુ હતું. ઝછઙ કાંડ બાદ ટીપીઓ મનસુખ સાગઠીયાએ આચરેલ કરોડોનો ભ્રષ્ટાચાર જગજાહેર થયેલ છે ત્યારે રાજકોટ મ્યુ.કમિશનર આ દિશામા તપાસ કરે તો ટીપરવાન ખરીદી અને સફાઈ કામદારોની હાજરીમા ભયંકર ગેરરીતિઓ બહાર આવે તેમ છે. આ ગેરરીતિઓમાં અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓની પણ સંડોવણી ખુલે તેમ છે એમ રાજુ જુજાની એક યાદીમા જણાવાયુ છે.

Tags :
dustbingujaratgujarat newsrajkotRajkot Municipal Corporationrajkot news
Advertisement
Advertisement