For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ નં.7માં ડ્રેનેજ ઉભરાણી, 22 ફરિયાદ

04:28 PM Jul 30, 2024 IST | Bhumika
વોર્ડ નં 7માં ડ્રેનેજ ઉભરાણી  22 ફરિયાદ
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}
Advertisement

લોક દરબારમાં મનપાના જુદા-જુદા વિભાગના કુલ-63 પ્રશ્ર્નો રજૂ કરાયા: હકારાત્મક નિકાલ કરવાનો મેયરનો પ્રયાસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે.

Advertisement

જે અંતર્ગત આજ તા.30/07/2024, સોમવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.7માંશ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.1, કોઠારીયા નાકા પાસે, રાજકોટખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, વિધાનસભા-70નાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા,વોર્ડ નં.7ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઈ માંકડ, ડો.નેહલભાઈ શુક્લ,શિક્ષણ સમિતિના સભ્ય અજયભાઈ પરમાર, નાયબ કમિશનર હર્ષદ પટેલ, સીટી એન્જી. અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન આર.કે. હિરપરા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા, વોર્ડ એન્જી.વી.પી.પટેલીયા, મેનેજર કૌશિક ઉનાવા, સિદ્ધાર્થ પંડ્યા, વોર્ડ ઓફિસર કમલેશ ઠાકર,અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.7ના પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, મહામંત્રી વિશાલભાઈ માંડલીયા, દિપકભાઈ પારેખ, જે.પી.ધામેચા, તથા વોર્ડ નં.7ના નાગરીકોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.7ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-63 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.લોક દરબારમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ - 18, વેરા વસુલાત-3, ટી.પી.-5, દબાણ હટાવ-7, ટ્રાફિક ટ્રાન્સપોર્ટ - 1, એ.એન.સી.ડી.-2, રોશની -1, બાંધકામ-વો.વ.-ડ્રેનેજ-22, આરોગ્ય-1, ગાર્ડન-1, અન્ય વિભાગ-2 મળીને કુલ 63 રજુ કરાયા હતા. આવતીકાલ તા.31/07/2024, બુધવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.8માંવોર્ડ ઓફીસ વોર્ડ નં.8-અ, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ પાછળ, નિર્મલા રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement