ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોટા આર્થિક ગુનાઓ માટે આગોતરા જામીનના વિવેકાધિકારનો ઉપયોગ જરૂરી નથી

05:20 PM Jun 28, 2025 IST | Bhumika
Advertisement

રૂા.36 કરોડના છેતરપિંડીના કેસમાં આગોતરા જામીન ફગાવી હાઈકોર્ટે કરેલી ટકોર

Advertisement

ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચે અવલોકન કર્યું છે કે BNSSની કલમ 482 હેઠળ આગોતરા જામીન નક્કી કરવાના વિવેકાધિકારનો ઉપયોગ છેતરપિંડી અને મોટી રકમના ગેરરીતિ સંબંધિત ગુનાઓમાં થવો જોઈએ નહીં. હાઈકોર્ટ એક કેસની સુનાવણી કરી રહી હતી જેમાં દુબઈ સ્થિત એક કંપનીએ કચ્છ સ્થિત એક કંપની સાથે રૂૂ. 36 કરોડની છેતરપિંડી કરી હોવાના અહેવાલ છે.

એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિદેશી કંપની, જે કચ્છમાં પણ કાર્યરત છે, તેણે માલ નિકાસ કરવા બદલ રૂૂ. 36 કરોડની બાકી રકમ ચૂકવી નથી. એ કહેવાની જરૂૂર નથી કે ફરિયાદીના કરોડો રૂૂપિયાના ગેરરીતિનો કથિત ગુનો ખૂબ ગંભીર છે. તેથી, ગુનાની ગંભીરતાનું વિશ્ર્લેષણ કરવું અને નક્કી કરવું જરૂૂરી છે કે કસ્ટોડિયલ પૂછપરછની જરૂૂર છે કે નહીં તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

જનતા અને રાજ્યના વ્યાપક હિતની માંગ છે કે છેતરપિંડી અને મોટી રકમના ગેરઉપયોગ જેવા ગંભીર આર્થિક ગુનાઓમાં, BNSSની કલમ 482 હેઠળના વિવેકાધિકારનો ઉપયોગ ન કરવો જોઈએ. અરજદારના ભાગી જવાની વધુ એક આશંકાને પણ અવગણી શકાય નહીં, કારણ કે તેની UAEમાં વ્યવસાયિક સંસ્થાઓ છે, બેન્ચે અરજીને ફગાવી દેતા ઉમેર્યું.

Tags :
gujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement