For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટા આર્થિક ગુનાઓ માટે આગોતરા જામીનના વિવેકાધિકારનો ઉપયોગ જરૂરી નથી

05:20 PM Jun 28, 2025 IST | Bhumika
મોટા આર્થિક ગુનાઓ માટે આગોતરા જામીનના વિવેકાધિકારનો ઉપયોગ જરૂરી નથી

રૂા.36 કરોડના છેતરપિંડીના કેસમાં આગોતરા જામીન ફગાવી હાઈકોર્ટે કરેલી ટકોર

Advertisement

ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચે અવલોકન કર્યું છે કે BNSSની કલમ 482 હેઠળ આગોતરા જામીન નક્કી કરવાના વિવેકાધિકારનો ઉપયોગ છેતરપિંડી અને મોટી રકમના ગેરરીતિ સંબંધિત ગુનાઓમાં થવો જોઈએ નહીં. હાઈકોર્ટ એક કેસની સુનાવણી કરી રહી હતી જેમાં દુબઈ સ્થિત એક કંપનીએ કચ્છ સ્થિત એક કંપની સાથે રૂૂ. 36 કરોડની છેતરપિંડી કરી હોવાના અહેવાલ છે.

એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિદેશી કંપની, જે કચ્છમાં પણ કાર્યરત છે, તેણે માલ નિકાસ કરવા બદલ રૂૂ. 36 કરોડની બાકી રકમ ચૂકવી નથી. એ કહેવાની જરૂૂર નથી કે ફરિયાદીના કરોડો રૂૂપિયાના ગેરરીતિનો કથિત ગુનો ખૂબ ગંભીર છે. તેથી, ગુનાની ગંભીરતાનું વિશ્ર્લેષણ કરવું અને નક્કી કરવું જરૂૂરી છે કે કસ્ટોડિયલ પૂછપરછની જરૂૂર છે કે નહીં તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

Advertisement

જનતા અને રાજ્યના વ્યાપક હિતની માંગ છે કે છેતરપિંડી અને મોટી રકમના ગેરઉપયોગ જેવા ગંભીર આર્થિક ગુનાઓમાં, BNSSની કલમ 482 હેઠળના વિવેકાધિકારનો ઉપયોગ ન કરવો જોઈએ. અરજદારના ભાગી જવાની વધુ એક આશંકાને પણ અવગણી શકાય નહીં, કારણ કે તેની UAEમાં વ્યવસાયિક સંસ્થાઓ છે, બેન્ચે અરજીને ફગાવી દેતા ઉમેર્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement