ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલીપ સંઘાણી અમરેલી જિલ્લા સહકારી બેંકનું ચેરમેનપદ છોડશે

12:35 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતના કદાવર સહકારી નેતા ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ અમરેલી જિલ્લા સહકારી બેંકનું ચેરમેનપદ છોડવાની અને નવી પેઢીને સુકાન સોંપવાની જાહેરાત કરી છે. જોકે તેમણે રાજકારણમાં સક્રિય રહેવાની પણ વાત કરી છે.

Advertisement

ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ અમરેલી જિલ્લા સહકારી બેંકનું પદ છોડી દેશે. તેમણે આ નિર્ણય પાછળ યુવા પેઢીને સહકારી ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનો હેતુ જણાવ્યો છે.

આ નિર્ણયની સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાજકારણ છોડવાના નથી. તેમણે એમ પણ જણાવ્યું કે સહકારી કાયદા મુજબ, કોઈ પણ વ્યક્તિ સતત બે ટર્મથી વધુ સમય એક જ પદ પર રહી શકે નહીં, તેથી તેઓ આ નિયમનું પાલન કરશે. સંઘાણીના આ નિવેદનથી સહકારી રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂૂ થઈ છે, કારણ કે તેમના જેવા અનુભવી નેતાના આ નિર્ણયથી યુવા નેતાઓ માટે નવી તકો ઊભી થશે.

Tags :
Dilip SanghaniDilip Sanghani newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement