રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અગરબત્તી વેચવા નીકળેલા ધોરાજીના સેલ્સમેનનું ભરૂડી ટોલનાકા પાસે અકસ્માતમાં મોત

11:49 AM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ધોરાજીમાં રહેતા અને અગરબત્તી વેચવા નીકળેલા સેલ્સમેન રાજકોટમાં ફેરી કરી પોતાનું બાઈક લઇ ધોરાજી જઈ રહ્યા હતા. ત્યારે ભરૂૂડી ટોલનાકા પાસે પહોંચતા અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સેલ્સમેનનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધોરાજીમાં જમનાવાડ વિસ્તારમાં આવેલ વૈષ્ણવવાડીમાં રહેતા લક્ષ્મણદાસ સેવનદાસ રાયજા નામના 60 વર્ષના વૃદ્ધ દસ દિવસ પૂર્વે પોતાનું બાઈક લઇ રાજકોટથી ધોરાજી જઈ રહ્યા હતા ત્યારે ભરૂૂડી ટોલનાકા પાસે પહોંચતા અજાણ્યા વાહન સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક લક્ષ્મણદાસ રાયજા ચાર ભાઈ પાંચ બહેનમાં વચ્ચેટ હતા અને તેઓ અગરબત્તી વેચતા હતા અને રાજકોટ ફેરી કરવા આવ્યા હતા અને રાજકોટથી પરત ધોરાજી જઈ રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement