પીડિત પરિવારો સાથે આવેલા કોંગી કોર્પોરેટરોની અટકાયત
04:09 PM Jul 18, 2024 IST | admin
Advertisement
મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા અગ્નિકાંડ મુદ્દે હલ્લાબોલ થવાની સંભાવનાના પગલે શાસકપક્ષ દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. બોર્ડ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈ અગ્નિકાંડના પીડીત પરિવારો સાથે કોર્પોરેશન કચેરી ખાતે આવતા તુરંત જ પોલીસે તેમની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતાં. અને પાંચ મીનીટ બાદ ફરી વખત કોર્પોરેશન ખાતે ઉતારી દેવાતા પીડીત પરિવારોએ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો.
Advertisement
Advertisement