રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વ્યાજખોરોના ત્રાસથી ગામ છોડયું છતાં પાછળ આવી ધાક-ધમકી આપતા યુવકનો આપઘાતનો પ્રયાસ

11:51 AM Jul 10, 2024 IST | Bhumika
oplus_2097184
Advertisement
Advertisement

ધારીમાં રહેતા યુવાને ત્રણ શખ્સો પાસેથી લગ્ન માટે રૂા.પાંચ લાખ 10 ટકાના વ્યાજે લીધા હતાં. વ્યાજખોરોની ધમકીથી કંટાળી યુવક ગામ છોડી મેટોડા મજુરી કામ કરવા આવી ગયો હતો. પરંતુ વ્યાજખોરોએ પીછો નહીં છોડતાં પાછળ આવી ધાક ધમકી આપતાં યુવાને ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ ધારીના વતની અને હાલ લોધિકાના મેટોડા ગામે રહેતા અજય દેવજીભાઈ ચાવડા નામનો 25 વર્ષનો યુવાન મેટોડામાં ગેઈટ નં.2ની અંદર હતો ત્યારે રાત્રિનાં નવેક વાગ્યાના અરસામાં ઝેરી પાવડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર અજય ચાવડા મુળ ધારીનો વતની છે અને એક વર્ષ પહેલા તેણે પોતાના લગ્ન માટે રૂા.પાંચ લાખ 10 ટકાના વ્યાજે લીધા હતાં. જેમાં રવિ પરમાર પાસેથી એક લાખ, દિનેશ દાફડા પાસેથી દોઢ લાખ અને શિવ પાસેથી 30 હજાર લીધા હતાં. બાદમાં વ્યાજખોર ધાક ધમકી આપતાં હોવાથી યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગામ છોડી મેટોડા મજુરી માટે આવી ગયો હતો. તેમ છતાં વ્યાજખોરોએ પાછળ આવી ધાક ધમકી આપતાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Dharidhari newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement