કુવાડવાના ડેરોય ગામે વીજ કરંટ લાગતા પરિણીતાનું મોત
12:07 PM Aug 13, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટના કુવાડવા નજીક ડેરોય ગામે રહેતી પરણીતા વાડીએ કંટોલા લેવા માટે ગઈ હતી ત્યારે તેણીને અકસ્માતે વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. પરણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા નજીક આવેલા ડેરોય ગામે રહેતી રામુબેન બચુભાઈ ચાવડા નામની 46 વર્ષની પરણીતા ગામમાં બીજાની વાડીએ કંટોલા લેવા માટે ગઈ હતી ત્યારે તેણીને અકસ્માતે વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
Advertisement
Advertisement