For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેન્ગ્યુ-મેલેરિયા યથાવત: નવા 28 કેસ

05:02 PM Oct 07, 2024 IST | admin
ડેન્ગ્યુ મેલેરિયા યથાવત  નવા 28 કેસ

આરોગ્ય વિભાગના ચોપડે ટાઈફોઇડના 5, ઝાડા-ઊલટીના 183, તાવના 631 અને શરદી-ઉધરસના 1006 કેસ નોંધાયા

Advertisement

રાજકોટ શહેરમાં ચોમાસાએ વિદાય લીધી છતાંં મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવતો ન હોય તેમ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા ડોર ટુ ડોર ચેકીંગ દરમિયાન મેલેરિયા અને ડેંગ્યુના વધુ 28 નવા કેસ સામે આવ્યા છે. તેમજ ઝાડા ઉલ્ટી-ટાઈફોડ શરદી, ઉધરસ તાવના કેસ પણ યથાવત રહેવા પામ્યા છે. આથી આરોગ્ય વિભાગે ચેકીંગ દરમિયાન મચ્છર ઉત્તપતિ સબબ 393 આસામીઓને નોટીસ પાઠવી રૂા. 62,350નો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.30/09/24 થી તા.06/10/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 93,962 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 6578 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

Advertisement

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 340 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 365 અને કોર્મશીયલ 128 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.62,350/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement