ડેન્ગ્યુ-મેલેરિયા બેકાબૂ, 9 માસમાં 71 કેસ નોંધાયા
છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 6 તથા શરદી-ઉધરસ તાવના 1707 અને ઝાડા-ઊલ્ટીના 139 નવા દર્દીઓ સામે આવ્યા
ચોમાસુ વિદયા લઇ રહ્યુ છે. ત્યારે મચ્છર જન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં નવા 6 દર્દીઓ સાથે ડેન્ગ્યુ મેલેરીયા અને ચીકનગુન્સાના નવ માસમાં 71 કેસ નોંધાયા છેે. તેમજ ટાઇફોઇડના 3 અને સામાન્ય શરદી-તાવ-ઉધરસના 1707 કેસ નોંધાતા મનપાના ડોર ટુ ડોર કામગીરીર વધુ ઝડપી બનાવી મચ્છર ઉત્પતી સબબ 498 આસામીઓને નોટિસ ફટકારી હતી.
મચ્છર જન્ય રોગચાળાથી ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.15/09/2025 થી તા.21/09/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 41,335 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 950 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 762 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 303 અને કોર્મશીયલ 195 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 38 આસામી પાસેથી રૂૂા.15,050/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.