For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાગામ આણંદપર સરકારી જમીનમાં ખડકી દેવાયેલ 500 વારના મકાનનું ડિમોલિશન

03:33 PM Jul 11, 2024 IST | admin
નવાગામ આણંદપર સરકારી જમીનમાં ખડકી દેવાયેલ 500 વારના મકાનનું ડિમોલિશન

તાલુકા મામલતદાર સહિતનો કાફલો ત્રાટકયો: એક કરોડની જમીન ખુલ્લી કરાવી

Advertisement

રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીન પર થયેલા આડેધડ દબાણો સામે તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા માલમતદારે નવાગામ આણંદપર ગામે આવેલ સરકારી કિંમતી પ્લોટમાં ખડકી દેવાયેલ મકાન પર બુલડોઝર ફેરવી દઈ એક કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

જિલ્લા કલેટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર મકવાણા નાયબ મામલતદાર કિરીટસિંહ ઝાલા, રઘુવીરસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે નવાગામ આણંદપર ખાતે ત્રાટકયો હતો અને સર્વે નંબર 207 પૈકીની સરકારી જમીન પર તૈયાર કરવામાં આવેલ પાકા મકાન પર બુલડોઝર ફેરવી દઈ મકાન જમીનદોસ્ત કરી દીધું હતું.

Advertisement

તાલુકા મામલતદારે સરકારી જમીનમાં 500 ચો.મી.પર દબાણ કરી પાકુ મકાનની પેશકદમી કરવામાં આવી હતી. જે અંગે દબાણકર્તાને નોટિસ ફટકારી તેની સામે સુનાવણી હાથ ધર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડિમોલીશન કરવામાં આવ્યું હતું અને એક કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement