For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો, ચોટીલામાં ગૌ ભક્તોએ કર્યો ચક્કાજામ

01:01 PM Mar 12, 2024 IST | Bhumika
ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો  ચોટીલામાં ગૌ ભક્તોએ કર્યો ચક્કાજામ

રવીવારનાં સમગ્ર ભારત બંધના હિન્દુ ધર્મના ચાર શંકરાચાર્ય દ્વારા અપાયેલા એલાન અનુસંધાને ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત થાય સમગ્ર ભારતની અંદર ગૌહત્યા મુક્ત બને અને ગૌહત્યા કાનૂન સરકાર દ્વારા તત્કાલ લાગુ કરવામાં આવે તેવી માંગણીના ભાગરૂૂપે ચામુંડા ધામ ચોટીલામાં ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનોના હરેશભાઇ ચૌહાણ, અનકભાઇ ખાચર, દલસુખભાઇ, અજયભાઇ વિગેરેની આગેવાની દ્વારા ચોટીલા ચાર રસ્તા પોલીસ ચોકી પાસે સવારના વાહનો રોકી અને ગૌરક્ષકો દ્વારા પોતાનો રોષ અને ભાવ વ્યક્ત કરવામાં આવેલ અને આક્રોશજનક ગૌ ભક્તો હાઇવે રોડ ઉપર સુઇ ગયા હતા દશ મિનિટ પોલીસ દ્વારા તમામની રાબેતા મુજબ અટકાયત કરવામાં આવેલ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement