For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નદીમાંથી ભેંસોને બહાર કાઢતી વેળેે ડૂબી જતા વૃધ્ધનું મોત

01:18 PM Sep 16, 2024 IST | admin
નદીમાંથી ભેંસોને બહાર કાઢતી વેળેે ડૂબી જતા વૃધ્ધનું મોત

જામજોધપુરના વાંસજાળીયા ગામ દુર્ધટના ઘટી

Advertisement

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં રહેતા 65 વર્ષના બુઝુર્ગ નદીમાં નાહવા માટે પડેલી પોતાની ભેંસને બહાર કાઢવા માટે પોતે નદીમાં ઉતરતાં ડૂબી જવાથી તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં રહેતા અને માલધારી તરીકે વ્યવસાય કરતા હમીરભાઈ ગોગનભાઈ મોરી નામના 65 વર્ષના રબારી બુઝુર્ગ ગઈકાલે પોતાની ભેંસો નદીમાં પાણીમાં ઊતરેલી હતી, તે તમામને બહાર કાઢવા માટે પોતે નદીના પાણીમાં ઊતર્યા હતા.

જે દરમિયાન અકસ્માતે તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે જેઠાભાઈ લાખાભાઈ મોરીએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે રબારી બુઝુર્ગના મૃતદેહ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement