રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના ખાનપરમાં દારૂના નશામાં અગ્નિસ્નાન કરનાર યુવકનું મોત

12:40 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ખાનપર ગામે રહેતા બાવાજી યુવાને દારૂૂ ઢીંચી પત્ની સાથે ઝગડો કર્યા બાદ ઘર નજીક ચોકમાં જઈ પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કરી લીધું હતું. યુવાનનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

મળતી વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે રહેતા રણજીતગીરી મનસુખગીરી ગોસ્વામી નામના 38 વર્ષના બાવાજી યુવાને ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યે ગામના ચોરા પાસે જાહેરમાં પેટ્રોલ છાંટી સળગી જઈ આપઘાતને પ્રયાસ કરતા તેમને ગ્રામજનોએ બચાવી તુરંત રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં યુવાનનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં રણજીતગીરીને સંતાનમાં ત્રણ દિકરી છે. તેમજ પોતે બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો. રણજીત દારૂૂ પીને ઘરે આવ્યો હતો અને તેમની પત્ની પ્રિતી સાથે માથાકુટ કરી હતી. ત્યાર બાદ પત્નીએ દારૂૂ બંધ કરી દેવાનું કહેતા પોતે ગામના ચોરે ગયો હતો અને પગલું ભરી લીધું હતું. હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
deathgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement