રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિહોરના અગિયાળી ગામે બંધ મકાનમાંથી 10 પશુના મૃતદેહ મળ્યા

11:48 AM Jul 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સિહોર તાલુકાના અગિયાળી ગામે લક્ષ્મીરામભાઈ ધાંધલાના મકાનમાં એકી સાથે અંદાજે દસેક પશુઓના મોત થયાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ગામલોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતે સિહોર પોલીસ અગિયાળી ગામે દોડી ગઇ હતી. આ બાબતે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી હતી.

બંધ મકાનમાં એકી સાથે આવી રીતે આટલા પશુઓ આવ્યા કેવી રીતે ? આ પશુઓને મકાનમાં પૂર્યા કોણે ? આ પશુઓને બંધ મકાનમાં ગોંધી રાખીને મરવા સુધી ગુંગળાવી રાખવા પાછળ કોનું ભેજું જવાબદાર છે ? આ બધા પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પછી મળશે કે કેમ? આની પાછળ જવાબદારોને છાવરવામાં આવશે કે પછી ગુનો દાખલ કરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે.

આ રીતે અગીયાળી ગામે બંધ મકાનમાં રાખેલા 10 પશુના મોતના મામલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે રોષની લાગણી પ્રસરી વળી હતી.

Tags :
animal deathgujaratgujarat newsSihorSihor news
Advertisement
Next Article
Advertisement