For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિહોરના અગિયાળી ગામે બંધ મકાનમાંથી 10 પશુના મૃતદેહ મળ્યા

11:48 AM Jul 24, 2024 IST | Bhumika
સિહોરના અગિયાળી ગામે બંધ મકાનમાંથી 10 પશુના મૃતદેહ મળ્યા
Advertisement

સિહોર તાલુકાના અગિયાળી ગામે લક્ષ્મીરામભાઈ ધાંધલાના મકાનમાં એકી સાથે અંદાજે દસેક પશુઓના મોત થયાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ગામલોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતે સિહોર પોલીસ અગિયાળી ગામે દોડી ગઇ હતી. આ બાબતે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી હતી.

Advertisement

બંધ મકાનમાં એકી સાથે આવી રીતે આટલા પશુઓ આવ્યા કેવી રીતે ? આ પશુઓને મકાનમાં પૂર્યા કોણે ? આ પશુઓને બંધ મકાનમાં ગોંધી રાખીને મરવા સુધી ગુંગળાવી રાખવા પાછળ કોનું ભેજું જવાબદાર છે ? આ બધા પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પછી મળશે કે કેમ? આની પાછળ જવાબદારોને છાવરવામાં આવશે કે પછી ગુનો દાખલ કરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે.

આ રીતે અગીયાળી ગામે બંધ મકાનમાં રાખેલા 10 પશુના મોતના મામલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે રોષની લાગણી પ્રસરી વળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement