રાજકોટથી દૈનિક ફ્લાઇટ 10માંથી ઘટી 6 થઇ ગઇ
એર ઇન્ડિયાની ફલાઇટ 31 ઓગસ્ટ સુધી રદ, દિલ્હીની ફલાઇટ માત્ર મંગળવારે, પુના-ગોવા-હૈદરાબાદની ફલાઇટ પણ મંગળવારે ઉડશે
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી ફ્લાઈટ માં ઘટાડો થઇ રહ્યો. હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ 27 જૂનથી 15 જુલાઈ સુધી બંધ રહી હતી. જોકે 18 જુલાઈથી આ ફ્લાઈટ બંધ થઈ જતા હવે તે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. સત્તાવાર રીતે તો એરક્રાફ્ટમાં ઇન્ટિરિયર ચેન્જ કરવાની લીધે આ ફ્લાઈ રદ કરવામાં આવી છે. તેમજ પુના,ગોવા,હૈદરાબાદની અને દિલ્હીની એર ઇન્ડિયા ફ્લાઈટ દર મંગળવારે ઉડાન ભરશે.
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી એક સમયે દરરોજ 10 ફ્લાઈટ ઉડાન ભરતી હતી પરતું હવે તે ઘટીને 6 થઇ છે. આગામી મહિનામાં જન્માષ્ટમીનાં તહેવારો હોવા છતાં રાજકોટથી મુંબઈની એર ઈન્ડિયાની સવારની ફલાઇટને 31 ઓગસ્ટ સુધી બંધ કરી દેવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. જેથી જન્માષ્ટમીનાં તહેવારો રાજકોટવાસીઓને કનેક્ટિવ ફ્લાઈટ માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો પડશે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ AIC 659 મુંબઈથી દરરોજ 6.35 વાગ્યે પ્રસ્થાન કરી 7.55 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારબાદ આ ફ્લાઈટ અઈં688 રાજકોટથી 8.40 વાગ્યે ઉડાન ભરતી અને મુંબઇ સવારે 10.10 વાગ્યે પહોંચતી ફ્લાઈટ હવે 31 ઓગસ્ટ એટલે કે વધુ 40 દિવસ બંધ રહેવાની છે. તાજેતરમાં જ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ દિલ્હીની સવારની આ ફ્લાઈટમાં દૈનિક જતા મુસાફરોની સંખ્યા ઘટીને 25 થઈ ગઈ હતી. જેને લીધે આ ફ્લાઈટ બંધ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ 27 જૂનથી 15 જુલાઈ સુધી બંધ રહી હતી.
જોકે 18 જુલાઈથી આ ફ્લાઈટ બંધ થઈ જતા હવે તે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપરથી અત્યાર સુધી નિયમિત 14 જેટલી ફલાઇટ ઉડાન ભરતી હતી જેમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો હોય અત્યારે સવારની 8.40ની એરઇન્ડિયાની ફલાઈટ જે ખાસ કરીને બિઝનેસમેન માટે મહત્વપુર્ણ ગણાય છે તે હાલ પૂરતી 31 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3 વર્ષ બાદ પણ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફલાઈટ એક પણ શરૂૂ નથી, ત્યારે ડોમેસ્ટિક ફલાઈટ કનેક્ટિવિટી વધવાની ચર્ચા થતી હતી પણ તે અંગે પણ કોઈ જાહેરાત થઇ નથી. વિન્ટર શેડ્યુલમાં દૈનિક 10 ફ્લાઈટ ઉડાન ભરતી હતી તેમાં પણ ક્રમશ ઘટાડો થયો છે. હાલની જો વાત કરવામાં આવે તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક મુંબઈ, દિલ્હી, પુના,ગોવા અને હૈદરાબાદ, અને સુરતની ફ્લાઈટ ઉડાન ભરતી હતી. હવે નવા જાહેર થયેલા શેડ્યુલમાં પુના,ગોવા,દિલ્હી અને હૈદરાબાદની ફ્લાઈટ સપ્તાહમાં એક વાર દર મંગળવારે ઉડાન ભરશે. ઉપરાંત સુરતની ફ્લાઈટનું શેડ્યુલ પણ બદલવામાં આવ્યું છે.