For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જન

10:52 AM Apr 30, 2025 IST | Bhumika
ગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જન

દેશ-વિદેશમાં સાઉન્ડ થેરેપી વડે લોકોને સાજા કરી તેમના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે જિજ્ઞાસા કુલકર્ણી

Advertisement

‘ઇફેક્ટ ઓફ નાદ યોગા વિથ સિગિંગ બાઉલ ડયુરિંગ પ્રેગનેન્સી’ વિષય પર જિજ્ઞાસા કુલકર્ણીએ દુબઈમાં રિસર્ચ પેપર રજૂ કર્યું છે

‘માણસના મન પર અવાજની ખાસ અસર થતી હોય છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલ વ્યક્તિ હોર્ન ના કર્કશ અવાજથી કંટાળી જાય છે,જ્યારે નદી કિનારે ખળખળ વહેતા ઝરણા અને પંખીઓના કલરવ વચ્ચે માણસનું મન પ્રસન્ન થઈ જાય છે. માણસની અંદર પણ વિચારોનો સતત સાઉન્ડ ચાલતો જ હોય છે.સાઉન્ડ બાઉલ થેરેપીમાં ખાસ ધ્વનિ તરંગો દ્વારા 6 થી 8 મિનિટમાં બ્રેઇન ડીપ રિલેકસ સ્ટેટ માં એટલે કે ઊંઘ જેવી સ્થિતિમાં જતું રહે છે એટલે સેલ્ફ હિલિંગ શરૂૂ થઈ જાય છે,જેના દ્વારા અનેક શારીરિક,માનસિક રોગોમાં રાહત તેમજ ધ્યાનાત્મક સ્થિતિ પ્રાપ્ત થાય છે.’ સાઉન્ડ બાઉલ થેરેપીની સમજણ આપતા આ શબ્દો છે રાજકોટના જિજ્ઞાસાબેન કુલકર્ણીના જેઓએ છેલ્લા દોઢ દાયકાથી આ ક્ષેત્રે પ્રવૃત્ત રહી અનેકના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કર્યો છે.ઘણાં રિસર્ચ કરી દેશ વિદેશમાં લોકોને આ થેરેપી વડે સાજા કરે છે એટલું જ નહીં, આ થેરેપી શીખવે પણ છે.

Advertisement

તેઓનો જન્મ અને અભ્યાસ રાજકોટમાં થયો. વ્યવસાયે ટીચર એવા માતા કુસુમબેન ત્રિવેદી અને પિતાજી બળવંત ભાઈ ત્રિવેદીએ બે બહેન અને એક ભાઈ વચ્ચે ક્યારેય ભેદભાવ કર્યો નહીં.વર્ષો પહેલાં રાજકોટમાં કમ્પ્યુટરના અભ્યાસ માટે એપેક્સનું નામ જાણીતું હતું,જે જિજ્ઞાસાબેન પોતાના ભાઈ સાથે ચલાવતા.લગ્ન પછી અમદાવાદ શિફ્ટ થયાં ત્યાં પણ કામ ચાલુ જ રાખ્યું.દસેક વર્ષ બાદ પતિની ટ્રાન્સફર થતાં ફરીથી રાજકોટ આવવાનું થતાં કંઇક અલગ કરવાનું વિચાર્યું.

એ સમયે ખ્યાલ નહોતો કે ભગવાન કંઇક મહત્વના કામ માટે તેઓને નિમિત્ત બનાવવાના છે.સૌરાષ્ટ્ર યુનિ.માં ડિપ્લોમા ઇન યોગિક સાયન્સ એન્ડ કોસ્મિક હિલિંગનો કોર્સ કર્યો. આર્ટ ઓફ લિવિંગમાં ટીચર તરીકે સેવા તો આપતા જ હતા પણ હવે જીવનને એક નવી દિશા મળી. પ્રકાશભાઈ ટીપરે ત્યારબાદ એમ.એમ. ગોરે સર અને ડો. ભોલે સર દરેકે સમજાવ્યું કે યોગ આત્માની યાત્રા છે જે સંપૂર્ણ સમજ સાથે કરાવવું જરૂૂરી છે. એ સમય દરમિયાન સાઉન્ડ હિલિંગ વિશે જાણવા મળ્યું આ બાબતે જિજ્ઞાસાબેન જણાવે છે કે, "આજથી દસ-પંદર વર્ષ પહેલાં સાઉન્ડ થેરેપી વિશે કોઈને જાણકારી નહોતી.

શીખવું પણ ખર્ચાળ હતું છતાં થર્ડ લેવલ સુધી શીખ્યા બાદ લોકોને પણ આ થેરેપીનો અનુભવ કરાવવા લાગી. શરૂૂઆતમાં કોઈ ચાર્જ નહોતી લેતી પરંતુ વિનામૂલ્યે કરાવવાથી કોઈ મૂલ્ય સમજતા નહોતા તેથી ચાર્જ લેવાની શરૂૂઆત કરી.કોઈ વ્યક્તિ ચાર્જ ન આપી શકે તો પણ તેને સાઉન્ડ હિલિંગથી વંચિત નહોતી રાખતી. આ ઉપરાંત અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, કેન્સર પેશન્ટ તેમજ અનેક સાધુ-સંતોને વિનામૂલ્યે થેરેપી આપી છે.

આ જ રીતે નડિયાદ સંતરામ મંદિરની મુલાકાત લેવાનું થયું સંતરામની સમાધિ પર ત્યાં જ સેવા આપવાનો સંકેત મળ્યો. ત્યાં તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલતું હતું ત્યાં પ્રથમ સેશનમાં નાદ દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનારમાં 93 મહિલાઓને સાઉન્ડ હિલિંગ આપ્યું. અહીં આજે પણ મારા સ્ટુડન્ટ દ્વારા હિલિંગ સેન્ટર ચાલુ જ છે.’

જિજ્ઞાસાબેને એક હજારથી વધુ લોકોને આ થેરેપી શીખવી છે. પોતે જે કંઈ નવું શીખે છે તે વિદ્યાર્થીઓને પણ શીખવે છે.અત્યાર સુધીમાં તેઓએ સાઉથ આફ્રિકા, વેસ્ટ આફ્રિકા, સિંગાપૂર, દુબઈ સહિતના દેશોમાં આ થેરાપી શીખવી છે તો કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશોમાં ઓનલાઈન કોર્સ કરાવે છે. તેઓએ દુબઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો છે તેમજ આફ્રિકાની ઇન્ડિયન એમ્બેસીમાં પણ સેશન કર્યા છે.

સાયન્ટિફિક રીતે યોગ શીખવનાર જીજ્ઞાસાબેન થેરાપેટિક પદ્ધતિથી કામ કરે છે તેઓએ જણાવ્યું કે સાઉન્ડ હિલિંગ સાયકોઝોમેટિક રોગમાં વધુ અસરકારક છે એન્ઝોમિયા, પેરેલીસીસ, ડિપ્રેશન,અનિંદ્રા, મેનોપોઝની તકલીફ, તેમજ કેન્સર જેવા રોગોમાં ઉપયોગી છે પરંતુ તેઓનું માનવું છે કે આ અલ્ટરનેટિવ થેરેપી નથી પરંતુ કોમ્પ્લિમેન્ટરી થેરાપી છે નિયમિત દવાઓ ચાલુ રાખવા સાથે આ થેરાપી કરવામાં આવે છે. સાઉન્ડ હિલિંગ કરવામાં અનેક મુશ્કેલીઓ પણ આવી છે, છતાં તેઓ અડગ રહીને કામ કરતા રહ્યા છે.

પોતાની સફળતાનું શ્રેય તેઓ પરિવારજનોને આપે છે ખાસ તો ભાઈ ડો.રાજેશભાઇ ત્રિવેદી, બહેન બીનાબેન જોશી, સાસુ ભારતી બેન,સસરા પ્રકાશભાઈ તથા પતિ સૌરભ કુલકર્ણીએ ડગલે ને પગલે મદદ કરી હતી તે તેઓ કયારેય નહીં ભૂલે, અડધી રાત્રે પણ કોઈ બોલાવવા આવે તો પતિ સાથે આવે છે આ ઉપરાંત હવે બાળકો પણ મોટા થયા છે તેથી દીકરો અને દીકરી પણ મદદરૂૂપ થાય છે. તેઓ જે કંઈ ચાર્જ લે છે તેમાંથી અમૂક ભાગ બાળકો માટે, ગૌશાળામાં વાપરે છે. તેઓ માટે નવી આત્માના આગમનને સાઉન્ડ હિલિંગ દ્વારા આવકારવાનો આનંદ અનેરો છે તેથી સતત સાઉન્ડ બાઉલના ધ્વનિ તરંગોને વિશ્વમાં ફેલાવતા રહેવાનું તેમનું સ્વપ્ન છે જિજ્ઞાસાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આવા હોય છે હિલિંગ કરતા સાઉન્ડ બાઉલ

સાઉન્ડ બાઉલ વિશે જાણીએ તો તે સાત ધાતુના બનેલા હોય છે જો બાઉલ યોગ્ય રીતે ન બન્યા હોય તો યોગ્ય તરંગો નીકળતા નથી અને તેની બ્રેઇન ઉપર અસર થતી નથી. 30 સેક્ધડના તરંગો ઊભા થાય છે, નવ જેટલા બાઉલનો ઉપયોગ કરવામાં આવે છે. 1956માં ચાઇનાના એટેક વખતે ઘણા તિબેટિયન લામા જર્મની, જાપાન જતા રહ્યા અને આ રીતે ત્યાં સાઉન્ડ થેરાપીનો પ્રચાર થયો. આ સાઉન્ડ પાછળ જે તરંગો ઉત્પન્ન થાય છે તે તરંગોના કારણે વ્યક્તિ રિલેક્સેશનમાં જાય છે

ગર્ભ સંસ્કારમાં સાઉન્ડ હિલિંગ આ રીતે કામ કરે છે
નાદ દ્વારા ગર્ભ સંસ્કાર વિશે તેઓ જણાવે છે કે માતા જે વિચારે છે તે બ્રેન રિસીવ કરે છે જે બ્લડમાં ભળી બાળક સુધી પહોંચે છે એટલે જ્યારે માતા નેગેટિવ વિચાર કરે તો નકારાત્મક ઊર્જા બાળક સુધી પહોંચે છે. આ સેશન દરમિયાન માતાઓ પોતાના બાળક સાથે કનેક્ટ થઈ શકે છે તેઓએ ‘ઇફેક્ટ ઓફ નાદ યોગા વિથ સિંગિંગ બાઉલ ડયુુરિંગ પ્રેગનેન્સી’ આ વિષય પર દુબઈમાં રિસર્ચ પેપર પણ રજૂ કર્યું છે. સાઉન્ડ હિલિંગના કારણે માતાનું બીપી નોર્મલ થાય છે, ક્રિએટિવિટી આવે છે, વોમિટિંગ અટકે છે અને પોઝિટિવ અસર થાય છે.હવે તો ડિલિવરી સમયે પણ આ થેરેપી કરવાના અનેક અનુભવો છે. ડોક્ટર સાથે રહીને બાળકના જન્મ સમયે માતા અને બાળક બંનેને આ થેરેપી આપવામાં આવે છે. ન્યૂ બોર્ન બેબીને સહુ પ્રથમ ઓમનો નાદ સંભળાવવામાં આવે છે.

Wrriten By: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement