રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોર્પોરેટર રચનાબેન નંદાણિયા રખડતા કૂતરાંની સમસ્યા સંદર્ભે શ્વાન સાથે મનપામાં પહોંચ્યા !

12:53 PM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

જામનગર મહાનગરપાલિકામાં આજે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા રખડતા શ્વાનને લઈને મહાનગરપાલિકા કચેરીમાં આવ્યા હતાં. તેમની રજૂઆત હતી કે, શહેરમાં લોકોને શ્વાન બચકા ભરે છે. આથી લોકો પણ શ્વાન ઉપર હુમલા કરી રહ્યાં છે. આમ જામનગર મહાનગરપાલિકાએ આ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને તે માટે બજેટ ફાળવણી કરવી જોઈએ તેવી રજૂઆત અને માંગણી સાથે તેઓ શ્વાનને લઈને મહાનગરપાલિકા કચેરીએ આવ્યા હતાં. મહાનગરપાલિકાની સીક્યોરીટી, નિવૃત્ત ફૌજી સિક્યોરિટી અને પોલીસ કાફલો ખડકાયો હતો છતાં શ્વાન સાથે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહાનગરપાલિકા કચેરીમાં પહોંચી ગયા હતાં. જો કે, તેઓનો પ્રશ્ન વ્યાજબી હતો પણ સુરક્ષાની ફૌજ તેને રોકી શકી ન હતી. આ પહેલા તેમણે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે તાળાબંધી કરી હતી. તેમજ સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે દરવાજા પાસે તેઓ ઊભા રહી જતા આખરે ભારે માથાકૂટ પછી તેની અટકાયત કરી હતી.

Advertisement

 

Tags :
Corporator Rachnaben Nandaniadoggujaratgujarat newsjamnagarJamnagar Municipalityjamnagar news
Advertisement
Next Article
Advertisement