કોરોનાનો પગપેસારો, વધુ 5 પોઝિટિવ
શહેરમાં એક મહિલા, ત્રણ પુરુષ સંક્રમિત શિવપાર્ક, ગોવિંદનગર, શિવાજીપાર્ક અને સિલ્વરી સાઇન વિસ્તારમાં નવા કેસો નોંધાયા
સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસ માથુ ઉચી કરી રહ્યા છે. બે દિવસ પહેલા રાજકોટમાં પુરુષનો રીર્પોટ પોઝિટીવ આવ્યા બાદ વધુ ચાર નવા કેસ નોધાતા તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ આ લોકોેને કોઇ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાનુ આરોગ્ય વિભાગે જણાવી તમામને ઘરે સારવાર ચાલુ કરવામાં આવી છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો ન હોવાનુ જણાવ્યું છે.
રાજકોટ શહેરમાં કોરોના નવા ચાર કેસ મળી આવ્યા છે. તેમાં શિવપાર્કમાં રહેતી એક મહિલા અને ગોવિંદનગર અને સિલ્વર સાઈનમાં રહેતા ત્રણ પુરૂૂષને કોરોના થતા તમામ ચારેય સંક્રમિતોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
જ્યારે અન્ય એક યુવકને કોરોના થતા તેઓને સારવાર આપવામાં આવી હતી અને તે યુવક સાજો થઈ ગયો હતો. કોરોનાના નવા વોરીયન્ટના કેસ મળતા ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સ્થિતિ હજૂ નિયંત્રણ હેઠળ છે. સરકારી તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે સિવીલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. જો કે, રાજકોટ ગ્રામ્યમાં એક પણ કેસ ન હોય તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
શહેરમાં આજે વધુ ત્રણ કોરોનાના કેસનો રીર્પોટ પોઝિટવ આવેલો છે. જેમાં શિવપાર્ક વિસ્તારમાં એક મહિલા (ઉ.વ.39)તથા ગોવિંદ નગરમાં એક પુરુષ (ઉ.વ.74) અને સિલ્વર સોસાયટીમાં એક પુરુષ (ઉ.વ.52) સહિત ત્રણ કેસ આવતા ત્રણેય દર્દીને હોમઆઇસોલેટ કરી સારવાર ચાલુ કરવામાં આવી છે.
નવો વેરીયન્ટ જીવલેણ નથી: સાવચેતી રાખવી
આરોગ્ય વિભાગે કોરોનાના કેસમાં વધારો થતા એડવાઇઝરી જાહેર કરી છે અને નવા વેરીયન્ટ એલ.પી-8.1 જીવલેણ નથી તેમ જણાવી તેના લક્ષ્ણોમાં તાવ આવવો, માથુ દુખવુ, શરીરમાં દુખાવો, સરદી ખાશી, જેવા લક્ષ્ણો વ્પાપ્ત છે. આથી લોકોએ ખોટો ભય રાખવાના બદલે માસ પહેવા તથા વારંવાર હાથ ધોવા અને શરદી ખાશી, તાવના કીસ્સામાં ડોક્ટરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.