વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર ઋષિભારતી બાપુના રૂમમાં પહોંચી ગઇ
મહિલાના વસ્ત્રો સહિતની વસ્તુઓનો વીડિયો પણ બનાવ્યો
અમદાવાદના સરખેજ ભારતી આશ્રમ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે.
ત્યારે આ વિવાદમાં હવે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે. આ વિવાદ સામે આવ્યા બાદ ગઈ કાલે રાત્રે કીર્તિ પટેલે સરખેજ ભારતી આશ્રમમાં ઋષિભારતી બાપુના રુમમાં પહોંચી જઇ વીડિયો બનાવતા ભારે ચર્ચા જાગી છે.
વિવાદિત ગર્લ કીર્તિ પટેલે ઋષિભારતી બાપુના રુમમાં જઈ તેમનુમ કબાટ ખોલ્યું હતું. જેમાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેમાં મહિલાના વસ્ત્રો, રમકડા જેવી વસ્તુઓને કીર્તિ પટેલ ખુલ્લેઆમ વિડિયોમાં બતાવી રહી છે. સાથે તે કહી રહી છે કે, જો તેમને આવું જ જીવન જીવવું હોય તો તેમને દેખાડો ના કરવો જોઈએ.
ત્યારે અહીં સવાલ તે થાય છે કે, વિવાદિત કીર્તિ પટેલ અહીં આશ્રમમાં પહોંચી કેવી રીતે ? શું ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા માટે કિર્તીપટેલને બોલાવવામા આવી હતી. કેમ કે આ વિડીયોમાં કીર્તિ પટેલ એમ પણ કહી રહી છે કે, તેની સાથે થોડા સાધુ ભાઈઓ છે એટલે કેટલીક વસ્તુઓ તે દેખાડી શકે તેમ નથી ત્યારે સવાલ તે થાય છે કે, તેની સાથે કોણ સાધુ ભાઈઓ હતા.