કોંગ્રેસ નગ્ન થઈ ગઈ, વસ્ત્રહીન થઈ ગઈ: છેલ્લા દિવસે ગૃહમાં રૂપાલાની ફટકાબાજી
ભારત રત્ન સન્માનની ચર્ચા દરમિયાન પરસોતમ રૂપાલાએ અચાનક પિત્તો ગુમાવ્યો
રાજ્યસભામાં આજે ચર્ચા દરમિયાન કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલા તેની ટર્મના છેલ્લા દિવસે ભારે આક્રમક તેવરમાં જોવા મળ્યા હતાં અને કોંગ્રેસની શ્બ્દીક ધોલાઈ કરી નાખી હતી.ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓના સન્માનમાં રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જ્યારે ચૌધરી ચરણ સિંહનો ઉલ્લેખ થયો અને જયંત ચૌધરી બોલવા માટે ઉભા થયા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂૂપાલા વિપક્ષના હોબાળાથી નારાજ થઈ ગયા અને કોંગ્રેસને ચેતવણી આપી કે ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી.
હકીકતમાં, જ્યારે જયંત ચૌધરીએ રાજ્યસભામાં બોલવાનું શરૂૂ કર્યું ત્યારે કોંગ્રેસના સભ્યોએ તેની સામે વાંધો ઉઠાવ્યો અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જાણવા માગ્યું કે છકઉ નેતાને કયા નિયમ હેઠળ બોલવાની મંજૂરી આપવામાં આવી છે? ખડગેએ કહ્યું, આ ગર્વની વાત છે અને અમે પૂર્વ વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ, ચરણ સિંહ અને એમએસ સ્વામીનાથનને સલામ કરીએ છીએ.
ખડગેએ કહ્યું કે પભારત રત્નથી નેતાઓને સન્માનિત કરવા પર કોઈ ચર્ચા નથી. હું બધાને સલામ કરું છું, પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે કયા નિયમ હેઠળ પૂછો છો. મારે જાણવું છે કે તેમને (જયંત ચૌધરીને) કયા નિયમો હેઠળ બોલવાની મંજૂરી આપવામાં આવી છે? કૃપા કરીને અમને પણ મંજૂરી આપો. એક તરફ તમે નિયમોની વાત કરો છો. તમારી પાસે વિવેક છે. તે વિવેકબુદ્ધિનો ઉપયોગ સમજદારીપૂર્વક થવો જોઈએ અને જ્યારે તમને એવું લાગે ત્યારે જ નહીં. આ પછી ઘરમાં ભારે હોબાળો થયો હતો.
ખડગેના વાંધાઓ પર, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી અને પશુપાલન મંત્રી પરષોત્તમ રૂૂપાલાએ કહ્યું કે પસદનમાં નિયમોનું પાલન થવું જોઈએ. આજે જ્યારે તેમના પૌત્ર જયંત ચૌધરી સહિત આખું ગૃહ ગૃહમાં ચૌધરી ચારણને ભારત રત્ન મળવા બદલ અભિનંદન આપવા બેઠું હતું, ત્યારે મને નવાઈ લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ કેમ ઉભા થઈને વિરોધ કર્યો? વિપક્ષના સાંસદોએ હંગામો મચાવતા જ પરષોત્તમ રૂૂપાલા ગુસ્સે થઈ ગયા અને કહ્યું, સાંભળો... સાંભળો... ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી. તે થશે નહીં... તે બનશે નહીં. તમે ખેડૂતના વખાણ સાંભળી શકતા નથી. એક ખેડૂતને મળ્યો ભારત રત્ન, આમાં કોંગ્રેસની છાવણીમાં કેમ આગ લાગી?
રૂૂપાલાએ કહ્યું કે, પજ્યારે વિપક્ષના નેતા બોલે છે ત્યારે તમે (અધ્યક્ષ) અમને કહો છો કે વિપક્ષના નેતા બોલે છે, તેમની વાત સાંભળો, પરંતુ હવે એ જ વિરોધપક્ષના નેતા તમને કહી રહ્યા છે કે તમે તમારી મરજી મુજબ કામ કરી શકતા નથી. અને તે પણ આવા પ્રસંગોએ.પરંતુ, જ્યારે ખેડૂતને ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોંગ્રેસનું ચરિત્ર છે. કોંગ્રેસ આજે નગ્ન થઈ ગઈ છે. વસ્ત્રહિન થઈ ગઈ છે.