ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ

05:37 PM May 13, 2025 IST | Bhumika
Advertisement

યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર વોકળાનું કામ ધીમીગતિએ ચાલતું હોય ચોમાસા દરમિયાન કામ પૂર્ણ ન થયે જળબંબાકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી કોર્પોરેશનની ઢીલીનીતીનો વિરોધ કરી કોંગ્રેસ દ્વારા કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સહિતનાની રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટના મુખ્ય રસ્તાઓ માં નો એક ડોક્ટર યાજ્ઞિક રોડ પર હાલ સર્વેશ્વર ચોક પાસે નાલાનું કામ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે.

Advertisement

હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર ની આંતરિક ખટપટને યોગ્ય સંકલન ના અભાવે હાલ વેપારીઓનો ખો નીકળી રહ્યો છે 12 માસમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ હાલ 12 માસમાં કામ પૂર્ણ થાય તેમ જણાતું નથી. ચોમાસુ નજીક આવી જતા ભારે હાલાકી અને ચોમાસામા પાણીના જળ પ્રવાહમાં આ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થવાની પુરી સંભાવના છે વેપારીઓને પણ રાજકોટ મહાનગરપાલિકાની ઢીલી નીતિ ને કારણે ભોગવવાનો વારો આવ્યો છે. અને કામ વિલંબ થતા ભારે આર્થિક નુકસાની વેઠવી પડે તેમ છે.યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકના વોકળા પરના નાલાનું કામ 4:50 કરોડ માં કોન્ટ્રાક્ટરને અપાયું હોય ત્યારે આ કામ જૂન જુલાઈમાં પૂર્ણ ન થાય તો જળ હોનારતની ભિતી રહે.

આમેય યાજ્ઞિક રોડ પર નજીવા વરસાદે ગોઠણભેર પાણી ભરાય છે ત્યારે હાલ ન્યુ જાગનાથ અને જાગનાથ સહિતના વિસ્તારોમાં ડી આઇ પાઇપલાઇનનું કામ પણ ચાલુ હોય આડેધડ થતા ખોદકામના પગલે ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે તો આ ખાડાઓમાં સિનિયર સીટીઝન અને આમ પ્રજા ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખોદકામ બાદ પાઈપલાઈન નું કામ પૂર્ણ થયેલ તે ખાડા પર તાત્કાલિક મેટલિંગ કામ કરવું અત્યંત જરૂૂરી છે જે હાલ થતું ના હોવાને પગલે વિસ્તાર માં કાદવ કીચડ નું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા સામે લોકરોષ ભભૂક્યો છે અને માવઠાને પગલે શેરીઓમાં કાદવ કિચડનું સામ્રાજ્ય થયું છે ત્યારે જો બારે મેઘ ખાંગા થાય તો સમગ્ર વિસ્તાર અને આ જાગનાથમાં વોકળાની આસપાસની ઇમારતોમાં ફલેટમાં તેમજ યાજ્ઞિક રોડ પરના વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જવાનો ભય રહે છે. આથી મારી અગાઉની રજૂઆત અને આજની રજૂઆતના પગલે આપ દ્વારા થયેલ કાર્યવાહીની લેખીતમાં જાણ કરવા અનુરોધ કર્યો છે.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot newsSarveshwar chowk
Advertisement
Next Article
Advertisement