For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર મહારાષ્ટ્રના કથાકાર વિરૂૂદ્ધ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

12:04 PM Aug 24, 2024 IST | Bhumika
મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર મહારાષ્ટ્રના કથાકાર વિરૂૂદ્ધ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
Advertisement

મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી જેમની સામે ગઈ કાલે વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

આ આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત તા. 18 ના રોજ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર, વન્જાર ગામ, ઔરંગાબાદ) દ્વારા તેની મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામે એક કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિરૂૂદ્ધ અપમાનજનક ટીપ્પણીઓ કરવામાં આવી હોય, જેનાથી કથાકાર રામગીરી માહારાજે સમ્રગ દેશમાં મુસ્લીમો અને ઈસ્લામ ધર્મ વીરૂૂધ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઉભી કરી દેશની શાંતી તથા કાયદો વ્યવસ્થાને ડહોવાનો પ્રયત્ન કરેલ છે.

Advertisement

જેમની સામે કડકમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આ આવેદન આપવામાં વાંકાનેરની ધાર્મિક સંસ્થા દારૂૂલ ઉલુમ ગૌષે સમદાની-પીપળીયારાજ, દારૂૂલ ઉલુમ યતીમીયા-પલાસડી, દારૂૂલ ઉલુમ નુરીયા રઝવીયા- વાલાસણ, દારૂૂલ ઉલુમ હકકાનીયા-ખીજડીયા, દારૂૂલ ઉલુમ મોઇનુદ્દીન ચિશ્તી-વીડીભોજપરા, દારૂૂલ ઉલુમ ખતીજતુતાહેરાલીલ બનાત-પ્રતાપગઢ, દારૂૂલ ઉલુમ ફાતેમતુ ઝોહરાલીલ બનાત-પાંચદ્રારકા તેમજ સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવીને તેમજ મૌખિક રજૂઆત કરીને માંગ કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement