શાપરમાં મકાનનો માળ ચણવા મામલે પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ : પિતાનો આપઘાત
શાપર-વેરાવળમાં આવેલા ગોવિંદનગરમાં મકાનનો માળ ચણવા મામલે પિતા-પુત્ર વચ્ચે માથાકુટ થઇ હતી. જેને પગલે બંન્ને વચ્ચે ઝઘડો થતા પિતાએ એસીડ પી લેતા તેમને સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેઓનું ટૂંકી સારવરામાં જ મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવિંદનગર પાસે 50 વારીયામાં રહેતા દિપકભાઇ મંગાભાઇ સિંધવ નામના 48 વર્ષના આધેડ આજે સવારે પોતાના ઘરે એસીડ પી જતાં તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. દિપકને સંતાનમાં એક દીકરો એક દીકરી છે. પોતે ત્રણ ભાઇમાં નાના હતા અને કંપનીમાં નોકરી કરતા હતાં.
તેમના પરિવારના જણાવ્યા મુજબ, ઘરે હાલ ચણતરનું કામ ચાલે છે. પુત્રએ કહ્યુ ઉપર એક માળ ચણી નાખીએ પિતાએ કહ્યું કે મારે દેણુ કરીને માળ નથી બનાવો જેથી પુત્રએ કહ્યુ કે હુ બધુ દેણુ ભરી દઇશ જે બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ દિપકભાઇએ આજે સવારે પગલુ ભરી લીધુ હતું. દિપકભાઇનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.