ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના શકત સનાળા ગામે ડૂબી જવાથી બાળકનું મૃત્યુ

11:39 AM Jun 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મોરબીના શકત શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષનું બાળક ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના શકત શનાળા ગામે શક્તિ માતાજી મંદિર પાસે રહેતા અમિત ગોપાલભાઈ કાનાણી (ઉ.વ.08) નામનું બાળક ગત તા. 03 ના રોજ ગામના તળાવમાં ન્હાવા ગયો હતો અને તળાવના પાણીમાં ડૂબી જતા એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને બાળકને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

Advertisement

માર માર્યો
મોરબીના શનાળા ગામ નજીક આવેલ નંદભૂમિ એપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સ લીધા બાદ હિસાબ કરવાનું કહેતા ફ્લેટ ધારકોએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.મોરબીના શનાળા ગામ નજીક નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ધર્મેન્દ્રભાઈ એ આરોપી મયંકભાઈ બળવંતભાઈ છત્રોલા, બળવંતભાઈ છત્રોલા, અને દક્ષ રમેશભાઈ ચીકાનીને એપાર્ટમેન્ટ મેન્ટેનન્સ લઇ પછી હિસાબ કરવાનું કહેતા આરોપીઓએ ધમેન્દ્રભાઈને સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુંનો માર મારેલ તેવામાં આરોપી બળવંતભાઈ અને પ્રશાંત ધીરુભાઈ કાસુન્દ્રા એ ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Tags :
deathgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement