પર્યુષણ પર્વ નિમિત્તે મુખ્યમંત્રીએ જૈન દેરાસરમાં દર્શન કર્યા
04:11 PM Sep 05, 2024 IST
|
admin
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદમાં નવરંગપુરા સ્થિત દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે ઉપસ્થિત રહીને જૈન સંપ્રદાયને પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ દેરાસરમાં કરાયેલા ભગવાનના આંગી શણગારને નિહાળ્યો હતો તેમજ અત્યંત ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યાં હતાં. ત્યારબાદ તેઓએ મહારાજ સાહેબનાં આશીર્વાદ લઈને ઉપસ્થિત સૌને પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અને ભગવાનના સુંદર આંગી શણગારને બિરદાવ્યો હતો. આ પ્રસંગે જૈન શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Next Article
Advertisement