મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, બે કાર્યક્રમ
સ્વામિનારાયણ મંદિરે જ્ઞાનગુરૂ ક્વિઝનું કરશે ઉદ્ઘાટન, પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપશે
રાજકોટના કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત જ્ઞાનગુરૂ કવિઝનું લોન્ચિંગ કરવા અને કુવાડવા રોડ કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર પાટીદાર સમાજના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજરી આપવાના હોય તંત્ર દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કાર્ય રાજકોટની મુલાકાતે આવનાર છે. કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે બપોરે બે વાગ્યે ગુજરાત જ્ઞાનગુરૂ કવિઝ 2023નું ઉદ્દઘાટન કરશે જેમાં રાજ્યના ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે.
શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા આગામી તારીખ 24 ના રવિવારે બપોરે 2:30 વાગ્યે કુવાડવા રોડ પર આવેલા કાર્તિક પાર્ટી પ્લોટમાં પાટીદાર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અને ખોડલધામના ટ્રસ્ટી અનારબેન પટેલ સહિતના આગેવાનો સમારોહના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહેશે જ્યારે સીદસર ઉમિયાધામના પ્રમુખ જયરામભાઈ પટેલ, કાગવડ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેનું ઉદ્ઘાટન કરશે.
સમારોહના મુખ્ય મહેમાન તરીકે આનંદીબેન પટેલના પુત્રી અને ખોડલધામના ટ્રસ્ટી અનાર પટેલ સંસદ સભ્યો મોહનભાઈ કુંડારીયા રમેશભાઈ ધડુક કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા જયેશભાઈ રાદડિયા કાંતિભાઈ અમૃતિયા મહેન્દ્રભાઈ પાડલીયા દુર્લભજીભાઈ દેથરીયા અરવિંદભાઈ લાડાણી સંજયભાઈ કોરડીયા જનકભાઈ તળાવિયા દિવ્યેશભાઈ અકબરી જે.વી.કાકડિયા પ્રકાશભાઈ વરમોરા મહેશભાઈ કસવાલા,રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે. સખીયા વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી મેયર નયનાબેન પેઢડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત આમંત્રિત મહેમાનોના લિસ્ટમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુવરજીભાઈ બાવળીયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ સંસદ સભ્ય રામભાઈ મોકરીયા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ કોંગ્રેસના આગેવાન મિતુલ દોંગા હિતેશ વોરા ભાજપના ગોવિંદભાઈ પટેલ લલીતભાઈ રાદડિયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી. પી. વૈષ્ણવ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા સહિતનાઓના નામ છે.
રવિવારના આ મહત્વના કાર્યક્રમ માટે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ લેઉવા પટેલ પરિવાર ટ્રસ્ટ મહિલા સમિતિ સહિતની જુદી જુદી સંસ્થાઓ અને તેના આગેવાનો કાર્યકરો કામે લાગી ગયા છે. બપોરે શરૂ થનારો આ કાર્યક્રમ સાંજે મોડે સુધી ચાલશે અને ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.