મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જન્મદિવસે કર્યા દેવદર્શન, PM મોદીએ પાઠવી શુભેચ્છા
03:53 PM Jul 15, 2025 IST | Bhumika
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના 64માં જન્મ દિવસ અવસરે અડાલજ ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના 64માં જન્મ દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાત વિકાસ અને પ્રગતિની રાહ પર અવિરત અગ્રેસર રહે તે માટે મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી અને દિર્ઘાયુ અને સ્વસ્થ તંદુરસ્ત જીવનની મંગલ કામનાઓ પણ વ્યક્ત કરી હતી
Advertisement
Advertisement