દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર
04:57 PM Dec 08, 2025 IST | Bhumika
જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે.
Advertisement
જેમાં અગામી તારીખ 16 /12 2025 મંગળવાર તા. 23/12 મંગળવાર તા.25/12 ગુરૂૂવાર અને તા.8/1/2026 ગુરૂૂવાર આ તમામ દિવસો દરમિયાન ઠાકોરજીને મંગલા આરતી સવારે 5:30 વાગ્યે થશે. અનોસર (મંદિર બંધ) સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે જેની નોંધ વૈષ્ણવો એ લેવી વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ની યાદીમાં જણાવ્યું છે.
Advertisement
Advertisement