રામકૃષ્ણ આશ્રમમાં ભક્તિભાવ પૂર્વક પવિત્ર વાતાવરણમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
ગઇકાલે ગુરૂપૂર્ણિમાનાં મહોત્સવની રાજકોટ સહીતના શહેરના વિવિધ આશ્રમોમાં ગુરૂઓની પુજા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. શહેરના યાજ્ઞીક રોડ પર આવેલ રામકૃષ્ણ આશ્રમ ખાતે પણ ભાવીકો દ્વારા શ્રધ્ધા સાથે ગુરૂઓનું પુજન કરી અને ગુરૂપૂર્ણિમાના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આરતી, પુષ્પાંજલી સહીતના કાર્યક્રમો યોજાયા હતા. શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા રવિવાર, તા. 21 જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ ભગવાન શ્રીરામ કૃષ્ણદેવની વિશેષ ષોડશોપચાર પૂજા અને હોમ કરવામાં આવ્યો તથા ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વહેલી સવારથી દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે પગુરુ મહિમાથ વિષય પર પ્રવચન આપ્યું. આ પવિત્ર દિવસે આશ્રમમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. સાંજે શ્રીરામકૃષ્ણ-નામ સંકીર્તન તથા વિશેષ ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું.