ઝાડા-ઉલ્ટી, તાવ અને કમળાના કેસો વધ્યા
03:57 PM May 05, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા-ઉલ્ટી, તાવ-શરદી અને કમળાના કેસોમાં વધારો નોંધાયો છે જેના પગલે હિટવેવને અનુલઙક્ષીને મહાનગરપાલિકાએ વધુ એક વખત લોકોને આરોગ્યલક્ષી સલાહ આપી છે.
Advertisement
મહાનગરપાલિકાએ આપેલા સતાવાર આંકડા મુજબ ગત તા. 28 એપ્રિલથી તા. 4 મે દરમિયાન એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં ટાઈફોડના બે તથા કમળાના સાત કેસ નોંધાયા છે. જ્યારે શરદી-ઉધરસના 390, સામાન્ય તાવના 571 અને ઝાડા-ઉલ્ટીના 167 કેસ નોંધાયેલ છે.
જો કે, ખાનગી દવાખાનાઓમાં નોંધાયેલા રોગચાળાના આંકડાનો કોઈ હિસાબ નથી, આંકડા માત્ર સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કેસોના જ જાહેર કરાયા છે.
Next Article
Advertisement