બિનવારસુ વાહનો જપ્ત કરવાની ઝુંબેશ, વધુ 63 વાહન ડિટેન
150 ફૂટ રિંગ રોડ પર લાંબા સમયથી પડેલા વાહનો જપ્ત કરી ટ્રાફિક વિભાગે સપાટો બોલાવ્યો
શહેરમાં ઠેર ઠર રસ્તા ઉપર બિનવારસુ હાલતમાં વાહનોના ખડકલા થયા હોય જેના કારણે ટ્રાફીકની સમસ્યા ઉભી થઈ છે ત્યારે રાજમાર્ગો ઉપર ટ્રાફીકને અડચણરૂપ વાહનો જપ્ત કરી રસ્તો ખુલ્લો કરવા માટે ટ્રાફીક પોલીસ દાવારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બીજા દિવસે પણ આ ઝુંબેશ યથાવત રાખી 150 ફુટ રીંગ રોડ પરથી વધુ 63 વાહન ડિટેઈન કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડી.પોલીસ કમિશ્નર વિધી ચૌધરી અને ટ્રાફીક ડીસીપી પૂજા યાદવ દ્વારા ટ્રાફીક સમસ્યાનું નિવારણ લાવવા માટે શહેરના રાજમાર્ગો પર બિનવારસ હાલતમાં ક્ધડમ થઈ ગયેલા વાહનો પડેલા હોય જેના કારણે ટ્રાફીક સમસ્યા સર્જાતી હોય જેથી આવા વાહનો જપ્ત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના પ્રથમ દિવસે ટ્રાફીક પોલીસ દ્વારા 44 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં.જ્યારે બીજા દિવસે પણ ટ્રાફીક પોલીસ દ્વારા બિનવારસુ વાહનો જપ્ત કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. જે અંતર્ગત ડીસીપી ટ્રાફીક પૂજા યાદવ, એસીપી જોલી ગઢવીની રાહબરી હેઠળ 150 ફુટ રીંગ રોડ પર બિનવારસ વાહનો સામે કેસો કરવા ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં સેકટર-1 પીએસઆઈ આર.એસ.પરમાર દ્વારા 14 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતાં. પીઆઈ જીજ્ઞેશ દેસાઈ દ્વારા 18 વાહન, પીઆઈ એન.જી.વાઘેલા દ્વારા 17 વાહન અને પીઆઈ વી.આર.રાઠોડ દ્વારા 14 વાહનો મળી કુલ 63 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ટ્રાફીક વિભાગ દ્વારા બિનવારસુ હાલતમાં રસ્તા પર પડેલા વાહાને જપ્ત કરવાની ઝંબેશ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
પોલીસ કમિશનરના જાહેરનામાંના ભંગ બદલ પાંચ ટ્રાવેલ્સ બસ સહિત 11 વાહન ડિટેન કરતી પોલીસ
રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.ત્યારે શહેરમાં 150 ફૂટ રોડ ઉપર ટ્રાવેલ્સની બસો પડી રહેતી હોવાને કારણે અને ફરતી હોવાને ટ્રાફિકજામ થઈ રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં પોલીસે જાહેરનામાંની કડક અમલવારી શરૂ કરી પાંચ ટ્રાવેલ્સ બસ અને છ માલવાહક વાહનો ડિટેઈન કરી આકરી કાર્યવાહી કરતા ટ્રાવેલ્સ સંચાલકો રોષ ફાટી નીકળ્યો છે.વધુ વિગતો મુજબ,ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ 150 ફૂટ રોડ ગોંડલ બ્રિજ શરૂ થયા બાદ આ રોડ ઉપર ખાનગી બસોને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પાંચ મહિના પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું.આ જાહેરનામાનો હવે કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.ખાનગી બસોને રોડ ઉપર નહીં પરંતુ તેના માટે અલગથી પ્લોટની વ્યવસ્થા ઉભી કરીને તેમાં પાર્કિંગ કરવાનું અગાઉ નક્કી થયું હતું પરંતુ ટ્રાવેલ્સ એસો. દ્વારા કોઈ જ પ્રકારની સુવિધા કરવામાં આવી નહોતી અને દિવસનો મોટાભાગનો સમય મોટી મોટી બસો રોડ ઉપર જ પાર્ક કરી દેવાતી હોવાથી ટ્રાફિકજામ થઈ રહ્યાની ફરિયાદો પોલીસ સુધી પહોંચતા જાહેરનામાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.