ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર બસની બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત, 20થી વધુ મુસાફર ઘાયલ

05:47 PM Nov 09, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 20થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

Advertisement

મળતી માહિતી અનુસાર બસની બ્રેક ફેલ થતા અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. બસ પલટી મારી જતા અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુસાફરો અંજારથી અંબાજી દર્શન કરવા માટે આવ્યા હતા. અંબાજીથી પરત ફરતી વખતે ત્રિશુલીયા ઘાટ પર અકસ્માત સર્જાયો હતો.

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર ત્રિશુલિયા ઘાટ પર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તે છતાં, આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવે છે.

Tags :
accidentambajiAmbaji NEWSbus accidentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement