ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની સરકારી કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય રહેશે
04:50 PM Oct 28, 2025 IST | admin
રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવા આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
Advertisement
વધુમાં, જણાવ્યા અનુસાર ઈછજ ઙજ્ઞિફિંહ માં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.
Advertisement
Advertisement
