રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં મોટી દુર્ઘટના, વિદ્યાર્થીઓ પર ચોથા માળેથી કાટમાળ પડતાં એકનું મોત, 2 હાલત ગંભીર

03:25 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના માંગરોળના તરસાડીમાં એક ઇમારતના ચોથા માળેથી સ્લેબનો કાટમાળ પડ્યો હતો. આ કાટમાળ એક વિદ્યાર્થીઓ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અને 2 વિદ્યાર્થીઓના માથામાં કાટમાળ પડતાં હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. બન્ને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીઓ સ્કૂલથી પરત આવી રહ્યા હતા, આ દરમિયાન ઝંડા ચોક નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું. 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયાં છે.

Tags :
gujaratgujarat newsSTUDENT DEATHstudentssuratsurat news
Advertisement
Next Article
Advertisement