બગસરા એસ ટી ડેપોએ અનેક રૂટો બંધ કરતા પેસેન્જરોને હાલાકી
આજ કાલ બગસરા ડેપો વધુ પડતો ચર્ચામાં આવી ગયો છે ત્યારે હાલમાં છેલ્લા ચાર દિવસથી અનેક બસો બંધ કરવામાં આવતા મુસાફરો રજળી પડ્યા હતા. જ્યારે જાણવા મળતી માહિતી મુજબ બગસરા ડેપો દ્વારા છેલ્લા ચાર દિવસથી લગભગ 9થી 10 બસો બંધ કરવામાં આવી છે. જ્યારે અહીંયાથી ઉપડતી સુપર લોકલ બસ બગસરા થી રાજકોટ જતી વહેલી સવારની તેમજ બપોરની અને બગસરા વીંછિયા અને બગસરા થી અમરેલી જુનાગઢ તેમજ ખાંભા ધોરાજી તેમજ બગસરા રાજકોટ વાયા જેતપુર અને બગસરા મહુવા જેવી અનેક બસો બંધ કરવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
જ્યારે મુસાફરો હવે પૂછપરછ બારીમાં આ બસ ક્યારે જશે ના બદલે કઈ બસ ચાલુ છે તેવું પૂછવા મજબૂર બન્યા છે.જ્યારે મળતી માહિતી અનુસાર અહીંના ડેપોના અધિકારી દ્વારા ડ્રાઈવરોને ઋષી પાંચમ નિમિતે ઘણાને રજા મંજુર કરી હોવાથી આ તમામ રૂૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા.જેના હિસાબે મુસાફરોને ખાનગી વાહનનો સહારો લેવો મજબૂર બન્યા હતા. જ્યારે આવા સંજોગોમાં એસ ટી ડેપોને અધિકારીની બેદરકારીના લીધે ઋષી પાંચમ ફળી હતી. જેમાં શહેરની જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી.અને વહેલામાં વહેલી તકે આ તમામ બસો ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.