રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂની અદાવતમાં અમને પૂછયા વગર કેમ સમાધાન કર્યું કહી બે સગાભાઇ પર હુમલો

04:48 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલના બિલીયાળામાં જુની અદાવતમાં સમાધાન કરી લેતા બે સગાભાઇ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ધાવયેલા બંન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. આ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બનાવની વધુ વિગતો અનુસાર, બીલીયાળામાં રહેતા જગાભાઇ વિરમભાઇ ત્રાગીયા (ભરવાડ) (ઉ.વ.40) નામના યુવાન અને તેમના ભાઇ રધાભાઇ (ઉ.વ.50) બંન્ને આજે સવારે દુધ લઇ પોતાના ઘરે જતા હતા. ત્યારે ગામમાં રહેતા ભનાભાઇ જાણાભાઇ ભરવાડ, મીંડાભાઇ, અતુલભાઇ અને ગોપાલ ભનાએ પાઇપ અને લાકડી વડે મારમારતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.જગાભાઇએ જણાવ્યું હતું કે, પોતે માલઢોરનો ધંધો કરે છે. તેઓને બે વર્ષ પહેલા ગામના લોકો સાથે ઝઘડો થયો હતો. તે બનાવમાં પુછયા વગર કેમ સમાધાન કરી લીધુ તેમ કહી આરોપીઓએ હુમલો કર્યો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement