જૂની અદાવતમાં અમને પૂછયા વગર કેમ સમાધાન કર્યું કહી બે સગાભાઇ પર હુમલો
04:48 PM Mar 12, 2024 IST | Bhumika
- બિલિયાળા ગામનો બનાવ: ઘવાયેલા બંન્નેને સિવિલમાં ખસેડાયા
ગોંડલના બિલીયાળામાં જુની અદાવતમાં સમાધાન કરી લેતા બે સગાભાઇ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ધાવયેલા બંન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. આ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બનાવની વધુ વિગતો અનુસાર, બીલીયાળામાં રહેતા જગાભાઇ વિરમભાઇ ત્રાગીયા (ભરવાડ) (ઉ.વ.40) નામના યુવાન અને તેમના ભાઇ રધાભાઇ (ઉ.વ.50) બંન્ને આજે સવારે દુધ લઇ પોતાના ઘરે જતા હતા. ત્યારે ગામમાં રહેતા ભનાભાઇ જાણાભાઇ ભરવાડ, મીંડાભાઇ, અતુલભાઇ અને ગોપાલ ભનાએ પાઇપ અને લાકડી વડે મારમારતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.જગાભાઇએ જણાવ્યું હતું કે, પોતે માલઢોરનો ધંધો કરે છે. તેઓને બે વર્ષ પહેલા ગામના લોકો સાથે ઝઘડો થયો હતો. તે બનાવમાં પુછયા વગર કેમ સમાધાન કરી લીધુ તેમ કહી આરોપીઓએ હુમલો કર્યો હતો.
Advertisement
Advertisement