For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના જન્મદિવસની પરિવાર સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી

05:28 PM Mar 16, 2024 IST | Bhumika
શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના જન્મદિવસની પરિવાર સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી

Advertisement

જસદણ વિછીયાના લોકપ્રહી ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રજા વત્સલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે સાદાયથી ઉજવ્યો હતો આ સાથે વિછીયા તથા જસદણની ગૌશાળાઓમાં લીલા ઘાસચારાની ટ્રક તથા ગાડીઓ ભરી ભરીને મોકલી હતી સત સેવા કાર્ય સાથે સાદાઈ પૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી સતરંગ ધામ ગૌશાળા મારુતિ ધામ ગૌશાળા છાસીયા બાપુ વિછીયા પાંજરાપોળ હાથસણી જનડા કંધૅવાળીયા પીપરડી બિલેશ્વર મહાદેવ વીંછીયા નદી ભરડીયો અમરાપુર ગૌશાળા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ગૌશાળા ખાંડા હડમતીયા સમઢીયાળા ગૌશાળા ઓમ નંદી બીમાર ગૌશાળા ભાર્ગવ દાસ બાપુ શિવની ડેરી જસદણ સહિતની ગૌશાળાઓમાં ટ્રક સહિતના વાહનો ભરી ભરીને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ગાયોને હજારો મણ ઘાસ મોકલવામાં આવ્યું હતું આ સમયે તેજસ્વી ઓજસ્વી અને તપસ્વી ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને એપીએમસીના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મુકેશભાઈ મકવાણા ઉધોગપતિ સુજીત ભાઈ રાઠોડ અનિલ કુમાર સહિતના આગેવાનોએ મંત્રીશ્રીને રૂબરૂ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે ગૌશાળાઓમાં નીરણ લીલો ઘાસચારો મોકલવામાં પણ સૌ કોઈ સાથે રહ્યા હતા મંત્રી શ્રી એ પણ પોતે ગૌશાળામાં ગાયોને નીરણ નાખી હતી સત સેવા અને સત્સંગથી સુધરે ઘણા અહીં નારાયણ નીત રટા થકી પામે શુભ પરમ ગતિ બાપા બજરંગ વાલા રામને સંસય જરીયૅ નહીં આવા ભાવ સાથે આમ પોતાના પરિવાર સાથે સાદગી પૂર્વક પોતાના જન્મદિવસની ભક્તિભાવ અને સેવા કાર્ય સાથે ઉજવણી કરી અને સાધુ સંતો તથા ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા હતા અન્ય કોઈ નેતા કે આગેવાનોને પણ બોલાવવામાં આવ્યા ન હતા. માત્ર સેવા કાર્ય કરી અને પરિવાર સાથે જન્મદિવસ ની ઉજવણી થતા અને જસદણ વિછીયા પંથક ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement